નવી દિલ્હી: જો તમે બેંગકોક જવા ઇચ્છો છો અને હવાઇ સફરથી બચવા ઇચ્છો છો તો તમારા માટે એક સારા સમાચાર છે. હવે તમે મુંબઇથી બેંગકોક અને એથેન્સથી મુંબઇ ક્રૂઝ જઇ શકો છો. 'વાઇકિંગ્સ ઓસીન ક્રૂઝ' મુંબઇથી બે નવી સેવાઓ શરૂ કરવાની છે જેમાં તમે મુંબઇથી બેંગકોક અને એથેન્સથી લઇને મુંબઇ સુધી ક્રૂઝમાં સફર કરી શકો છો.
ફ્લાઇટ ભલે તમને જલ્દી પહોંચાડી દે પરંતુ ક્રૂઝની પોતાની એક અલગ જ મજા છે. ક્રૂઝથી તમે 16 દિવસોમાં મુંબઇથી બેંગકોક પહોંચી શકો છો. આ ટૂરમાં 8 નિર્દેશિત પર્યટન અને 5 દેશોનો પણ સમાવેશ કરવામાં આવશે.આ 16 દિવસમાં આ ક્રૂઝ ગોવા કોલંબો કુઆલલંપુર સિંગાપુર જેવી જગ્યાઓ થઇને પસાર થશે.
ક્રૂઝ દ્વારા તમે એથેન્સથી મુંબઇ 21 દિવસોમાં આવી શકો છો. 21 દિવસની યાત્રામાં ક્રૂઝ તમને પ્રાચીન વ્યાપારિક માર્ગથી ભારત લઇને આવશે. આ યાત્રા 9 ગાઇડ ટૂર અને 6 દેશોને કવર કરશે. યાત્રીઓને એથેન્સના પ્રાચીન શહેર પ્રાચીન બંદર પિરામીડ માટે પણ જાણકારી આપવામાં આવશે.મુંબઇથી બેંગકોક ક્રૂઝ સેવા 8 સપ્ટેમ્બર 2018થી શરૂ કરવામાં આવશે. જ્યારે એથેન્સથી મુંબઇ માટે આ ક્રૂઝ સેવા 19 ઓગસ્ટ 2018 થી શરૂ થઇ જશે.