ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીઓના કાર્યકર્તાઓ અને ઉમેદવારો ટીકીટ માટે પડાપડી કરી રહ્યા છે. ત્યારે હવે સંતો પણ આગામી ચૂંટણીમાં ઉમેદવાર બનવા માટે તૈયારીઓ કરી રહ્યા છે.
સમાજના વિકાસ માટે સંતો મહાપુરૂષો અને સેવાભાવી લોકોને ટીકીટ આપવા માટે મહામંડલેશ્વર ભારતી બાપુએ કહ્યુ છે. ત્યારે મહામંડલેશ્વર બાપુએ જુનાગઢમાં વિકાસ નથી થયો તે અંગે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે ગીરનારમાં વિકાસની ખુબ જરૂર છે.
ગીરનારમાં લોકો પીવાના પાણી માટે પણ તરસી રહ્યા છે. ત્યાર બાદ તેમણે કહ્ય કે દેશના ઉદ્ધાર અને પ્રજાના કાર્યો માટે સંતો મહાપુરૂષો અને સેવાભાવી વ્યક્તિઓને ટીકીટ આપવી જોઈએ. ત્યાર બાદ યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશે કહ્યુ કે જેવી રીતે ભાજપ દ્વારા યોગી અદિત્યનાથને ટીકીટ આપવામાં આવી છે અને યોગી આદિત્યનાથે પ્રજા માટે કાર્યો કર્યા છે. એવી જ રીતે ગુજરાતમાં પણ સાધુ સંતોને તક આપવી જોઈએ.