બીજિંગ : અમેરિકાની ચેતવણીને નજર અંદાજ કરીને ઉત્તરકોરિયાએ એકવાર ફરીથી હાઇડ્રોજન બોમ્બનું પરિક્ષણ કર્યું હતું. આ પરિક્ષણ બાદ આસપાસનાં વિસ્તારોમાં પરમાણુ વિકિરણ ફેલાયાની દહેશત હતી. જો કે ચીનનાં અનુસાર ઉત્તરકોરિયાનાં પરમાણુ પરિક્ષણથી સીમા પાર કોઇ વિકિરણ નથી થયું. ઉત્તરકોરિયાનાં ભુગર્ભમાં થયેલા પરમાણુ પરીક્ષણ દરમિયાન જમીનથી તેનું સ્પંદનની આશંકાઓ વચ્ચે જાપાન અને ચીને સોમવારે કહ્યું કે ઉત્તરકોરિયા આ પરિક્ષણ બાદ કોઇ પણ પ્રકારનાં વિકિરણ અંગેની જાણ નથી થઇ.
અગાઉ ઉત્તરકોરિયાએ પણ આ પરીક્ષણની પૃષ્ટી કરતા કહ્યું હતું કે તેણે હાઇડ્રોજનબોમ્બનું પરિક્ષણ કર્યું જે સંપુર્ણ સફળ રહ્યું. આ બોમ્બ ઉત્તરકોરિયાનાં લાંબા અંતરની મિસાઇલો દ્વારા પણ હૂમલો કરી શકાય છે. જો કે સમાચારોનાં અનુસાર આ વિસ્ફોટની તાકાત ગત્ત અથવા પાંચમાં પરીક્ષણથી 9.8 ગણું વધારે હતું. ભૂકંપ સંબંધિત માહિતી આપનારી સંસ્થાઓએ ઉત્તરકોરિયાનાં મુખ્ય પરમાણુ સ્થળની નજીક 6.3ની તીવ્રતાનો વિસ્ફોટ થયો હોવાનું સ્વિકાર્યું હતું.
ચીને પર્યાવરણ સંરક્ષણ મંત્રાલય એમઇપીએ એક નિવેદનમાં કહ્યું કે પૂર્વોત્તર સીમા ક્ષેત્રનાં વિસ્તારોમાં હીલોંગજિયાંગ જિલિન લિયાઓનિંગ અને શેનડોંગ વિસ્તારમાં સ્થાપિત તમામ સર્વેલન્સ સ્ટેશનમાં વિકિરણનું સ્તર સામાન્ય નોંધાયું હતું. એમઇપીએ પરમાણુ પરી7ણની ઇમરજન્સી પરિસ્થિતીમાં સામાન્યવર્તી વિસ્તારમાં વિકિરણનાં સ્તરનો અભ્યાસ ચાલુ કરી દીધું છે.
એમઇપીએ જણાવ્યું કે નિગરાનીનો આંકડો જાહેર કરવામાં આવશે. બીજી તરફ જાપા સરકારનાં વરિષ્ઠ પ્રવક્તા યોશિહિદે સુગાએ પણ કહ્યું કે ન તો સત્ય દેશનાં ધ્યાન કેન્દ્રેએ કોર્ટ વિશેષ ઘટના જોઇ અને કાલનાં વિસ્ફોટ બાદ એયર સેલ્ફ ડિફેન્સ દ્વારા લેવામાં આવેલા નમુનામાંથી કોઇ ભાળ નથી મળી.