મહેસાણાઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નારાજ હોવાનું અને હજી તેમની નારાજગી ઓછી ન થઈ હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે 1 જાન્યુઆરીએ મહેસાણા બંધની અપીલ કરવામાં આવી છે. ભાજપના કાર્યકર્તાએ સોશિયલ મીડિયા બંધની અપિલ કરી. મહત્વનું છે કે તેમને યોગ્ય સન્માન નહિં મળે ત્યાં સુધી તેઓ ઓફિસ નહિ આવે તેમ વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે નીતિન પટેલની નારાજગી પણ સામે આવી છે. ખાતાની વહેંચણીમાં સાઈડ લાઈન કરાતા આજે તેઓ પોતાની ઓફિસ પણ આવ્યા ન હતા. હજૂ પણ કેટલાક દિવસો ન આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે કેટલાક જિલ્લાઓમાં આને લઇ પડઘા પડ્યા છે.
ઉલ્લેખનીય છે કે ખાતાની ફાળવણી મુદ્દે નારાજ થયેલા નીતિન પટેલને 19 ધારાસભ્યોનું સમર્થન છે. નીતિન પટેલ મુખ્યમંત્રી બનવા તૈયાર હોય તો ધારાસભ્યોનું સમર્થન છે. સુરતના ભાજપના જૂથમાં નીતિન પટેલને લઇને ચર્ચાઓ તેજ બની છે. નારાજગીના મામલે સુરત ભાજપમાં ગમે ત્યારે રાજકીય ભૂકંપ આવી શકે છે.