તેલની આયાત પર સરકારને દર વર્ષે વિદેશી મૂડીનો મોટો ભાગ ખર્ચ કરવો પડે છે. સરકાર એક પૉલિસી પર કામ કરી રહી છે જેનાથી 2030 સુધી ઑઇલ ઇમ્પોર્ટ બિલ 100 બિલિયન ડૉલર એટલે કે 6.4 હજાર અરબ રૂપિયા સુધીનો ઘટાડો થઇ શકે. આ નીતિ અનુસાર મિથેનોલનુ કુકિંગ ગેસ અને પેટ્રોલ-ડિઝલમાં ભેળવવામાં આવશે.આ જાણકારી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં આપેલા એક નિવેદનમાં આપી હતી. તેમણે કહ્યુ કે પેટ્રોલમાં 15% મિથેનોલ ભેળવવામાં આવશે.
તેમણે જણાવ્યુ કે સરકાર ટૂંક સમયમાં એક સ્કીમ લાગૂ કરવાની છે જેની હેઠળ પેટ્રોલમાં 15% મિથેનોલ ભેળવવામાં આવશે જેનાથી ફ્યૂલની કિંમત 10% ઓછી થઇ જશે. નીતિન ગડકરીએ કહ્યુ કે વર્તમાનમાં દેશમાં લગભગ 2900 કરોડ લિટર પેટ્રોલ અને 9000 કરોડ લિટર ડિઝલની જરૂર હોય છે અને આપણે વિશ્વમાં છઠ્ઠા સૌથી મોટા ગ્રાહક છીએ. 2030 સુધી આપણે તેલના ત્રીજા સૌથી મોટા ગ્રાહક બની જઇશું અને અમારા ઇમ્પોર્ટચ બિલ ક્રૂડ ઑઇલ પર નિર્ભર કરે છે અને તે લગભગ 6 લાખ કરોડ રૂપિયા છે. સરકાર ઑઇલ ઇમ્પોર્ટના ખર્ચ ધટાડવા માટે મિથેનોલ જેવા લિકલ્પો પર ધ્યાન આપી રહી છે.
નીતિન ગડકરીએ મિથેનોલથી મળતા ફાયદા વિશે વાત કરતા કહ્યુ કે ''તેનાથી 2030 સુધી ભારતનું ઇમ્પોર્ટ બિલ ઘટશે. મેથિનોલથી પ્રોત્સાહન આપવાથી પ્રદુષણમાં ઘટાડો થશે કેમકે તેનાથી લગભગ પ્રદુષણ થતું જ નથી.'' ભારતે 2 ટન પ્રતિ વર્ષ મિથેનોલ ઉત્પાદનની ક્ષમતા સ્થાપિત કરી દીધી છે. નીતિ આયોગ દ્વારા તૈયાર યોજના અનુસાર ભારત હાઇ એશ કૉલ સ્ટ્રાન્ડર્ડ ગેસ અને બાયોમાસથી 2015 સુધી મિથેનોલની ઉત્પાદન ક્ષમતા 20 ટન વાર્ષિક થઇ શકે છે. નીતિ આયોગે 2030 સુધી ક્રૂડ ઑઇલની આયાત 10% ઘટાડો કરવાનો નમૂનો તૈયાર કર્યો છે જેના માટે 30 ટમ મિથેનોલની જરૂર પડશે.