નવી દિલ્હીઃ નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે શનિવારે કહ્યું કે ડેબિટ અને ક્રેડિટ કાર્ડની સાથે સાથે એટીએમ પણ આવતા ત્રણથી ચાર વર્ષમાં નકામા થઇ જશે. લોકો પોતાના વ્યવહારો માટે પોતાના મોબાઇલ ફોનનો ઉપયોગ કરશે.
તેમણે જણાવ્યુ કે ભારતમાં 72 ટકા જનસંખ્યા 32 વર્ષથી ઓછી વયના લોકોની છે. તેવામાં આ અમેરિકા અને યૂરોપના દેશોના મુકાબલે ડેમોગ્રાફિક ડિવિડન્ડની સ્થિતિ દર્શાવે છે.
કાંતે અહીં અઅમિતિ યુનિવર્સિટીના નોઇડા કેમ્પસમાં એક સભાને સંબોધિત કરતા કહ્યું કે 'ભારતમાં ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અને એટીએમનો ઉપયોગ આવતા ત્રણ વર્ષમાં નકામો થઇ જશે અને આપણે સૌ દરેક નાણાકિય વ્યવહારો માટે પોતાના મોબાઇલનો ઉપયોગ કરતા હોઇશું.' કાંતને અમિતિ યુનિવર્સિટીમાં ડૉકરેટની માનદ ઉપસંહાર આપવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યું કે ભારત દુનિયામાં એકમાત્ર દેશ છે જ્યાં અરબોની સંખ્યામાં બાયોમેટ્રિક ડેટા ઉપલબ્ધ છે. તેની સાથે જ મોબાઇલ ફોન અને બેન્ક ખાતાઓ પણ છે એટલા માટે ભવિષ્યમાં આ એક માત્ર દેશ હશે જ્યાં વિવિધ પ્રકારની નવી વસ્તુઓ હશે. વધુમાં વધુ નાણાકિય લેવડ-દેવડ મોબાઇલ ફોન દ્વારા કરવામાં આવશે અને આ અસર પહેલાથી જ જોવા મળી રહી છે.