ગોંડલ ચકચારી નિલેશ રૈયાણી હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને સુપ્રિમ કોર્ટે રાહત આપી છે. કોર્ટે તેમને ગુજરાત બહાર રહેવાની તથા પાસપોર્ટ જમા કરાવવાની શરતે જામીન આપ્યા છે. જયરાજસિંહ સહિત ત્રણ લોકોને પણ જામીન આપ્યા છે.
સાત દિવસ પહેલા ગોંડલ સેસન્સ કોર્ટમાં સરન્ડર કર્યું હતું. ગોંડલના લોક લાડીલા ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટએ જામીન આપતા ગોંડલની જનતામાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપના કાર્યકરો દ્વારા આતિસબાજી કરી સુપ્રીમ કોર્ટના આદેશને ફટાકડા અને ઢોલનાગરા સાથે વધાવ્યો હતો.