નવી દિલ્હી: નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે અમરનાથ યાત્રાને લઇને એક વખત ફરીથી મોટો નિર્દેશ આપ્યો છે. એનજીટીએ અમરનાથ શ્રાઇન બોર્ડને નિર્દેશ જારી કર્યો છે કે યાત્રા દરમિયાન છે છેલ્લા ચેકપોસ્ટ બાદ મોબાઇલ ફોન લઇ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવે. સાથે યાત્રા દરમિયાન ભગવાન શિવ માટે લગાવવામાં આવતાં જયકારો પર પણ પ્રતિબંધ લગાવવામાં આવે.
જસ્ટિસ સ્વાતંતેકરની અધ્યક્ષતા વાળી ટ્રિબ્યૂનની બેંચના અમરનાથ શ્રાઇન બોર્ડને નિર્દેશ આપતાં કહ્યું કે આ વાતનું ધ્યાન રાખીએ કે અમરનાથમાં મંત્ર અને જયાકરો ના લગાવવામાં આવે.
યાત્રીઓની છેલ્લી ચેક પોસ્ટ બાદ ગુફા સુધી મોબાઇલ અથવા અન્ય સામાન લઇ જવાની અનુમતિ મળશે નહીં ટ્રિબ્યૂનલે કહ્યું કે શ્રાઇન બોર્ડ આ વાતની વ્યવસ્થા કરે કે યાત્રી પોતાના સામાનનું સુરક્ષિત રૂપથી રાખી શકે. ઉલ્લેખનીય છે કે આ પહેલા નવેમ્બરમાં NGTએ શ્રાઇન બોર્ડની યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની આપવામાં આવતી સુવિધાઓ ગુફાની આસપાસની સાફ-સફાઇ અને ગુફા સુધી જવાનો રસ્તા પર ફટકાર લગાવવામાં આવી હતી. એનજીટીએ ગુફાની પાસેના વિસ્તારને સાઇલેન્સ ઝઓન જાહેર કરવાનું સૂચન આપ્યું હતું.