શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેના અવસાન બાદ શિવસેના સામે અનેક પડકારો છે. ત્યારે બાળાસાહેબના જન્મદિવસ નિમિતે ઉદ્ધવ ઠાકરેને શિવસેનાના અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા છે. તો સાથે જ તેમના પુત્ર આદિત્ય ઠાકરેને શિવસેનાની કોર કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાંરાખીને કરવામાં ફેરફાર કરવામાં આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તેઓ બાળાસાહેબના માર્ગે જ શિવસેનાને આગળ લઇ જવા માટે તૈયાર છે. ઉદ્ધવ ઠાકરેના 22 વર્ષીય પુત્ર આદિત્ય ઠાકરે શિવસેનાના યુથ વિંગ યુવા સેનાના અધ્યક્ષ પદે યથાવત્ રહેશે. સાથે જ તેમને શિવસેનાની કોર કમિટીમાં પણ સામેલ કરવામાં આવ્યા છે.