મુંબઈ: આમિર ખાને મોદીના 500 અને 1000ની નોટ પરના બેનના નિર્ણયને સમર્થન આપતા કહ્યું છે કે દેશહિત સામે નાની-મોટી તકલીફો જોવી ન જોઈએ. 8 નવેમ્બરે પીએમ મોદીએ 1000 અને 500ની નોટ પર બેનની ઘોષણા કરી હતી ત્યાર બાદ સમગ્ર દેશમાં નોટ પરના પ્રતિબંધ પર ચર્ચા થવા લાગી. કેટલાક લોકો સરકારના નિર્ણયને સમર્થન કરી રહ્યા છે તો બીજી તરફે વિરોધ પણ થઈ રહ્યો છે.
પીએમ મોદીના નિર્ણય પર બોલીવુડના મશહુર અભિનેતા આમિર ખાને કહ્યું છે કે આ નિર્ણય દેશહિતમાં છે અને તેની સામે નાનીમોટી તકલીફો કંઈ જ વિસાતમાં નથી.
કેટલાક મહિના પહેલા દેશમાં અસહિષ્ણુતા વધવાની વાત કહીને હિન્દુવાદી સંગઠનો અને ભાજપના નેતાઓ પર નિશાનો સાધીને આમિર ખાને કહ્યું હતું કે આનાથી મારી ફિલ્મોને નુકસાન થશે પરંતુ મારી ફિલ્મનો ફોયદો-નુકસાન દેશ સામે કંઈ જ નથી.