સીબીઆઇના નવા વડાના નામને લઇને ચાલી રહેલું સસ્પેન્સ ખતમ થયું છે. 1979ની બેચના આઇપીએસ ઓફિસર અનિલ સિન્હાની સીબીઆઇના નવા ડિરેકટર તરીકે પસંદગી કરવામાં આવી છે. પ્રથમવાર લોકપાલ કાયદા અંતર્ગત સીબીઆઇ ડિરેકટરની પસંદગી થઇ છે.
1979ની બેચના આઇપીએસ ઓફિસર અનિલ સિંહાની સીબીઆઇના નવા ડિરેકટર તરીકે પસંદગી કરવામાં આવી છે. પ્રથમવાર લોકપાલ કાયદા અંતર્ગત સીબીઆઇ ચીફની પસંદગી કરવામાં આવી છે. આ પસંદગી માટે યોજાયેલી બેઠકમાં વડાપ્રધાન મોદીની સાથે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એચ.એલ.દત્તુ અને કોંગ્રેસ સંસદીય દળના નેતા મલ્લિકાર્જુન ખડગે પણ શામેલ હતા. અનિલ સિંહાનો કાર્યકાળ બે વર્ષનો રહેશે.
અનિલ સિંહા 1979ની બેચના બિહાર કેડરના આઇપીએસ ઓફિસર છે. તેઓ છેલ્લા દોઢ વર્ષથી સીબીઆઇના સ્પેશિયલ ડિરેકટર પદ પર હતા. સીબીઆઇમાં જોડાયા પહેલા અનિલ સિંહા કેદ્રીય સતર્કતા આયોગમાં અધિક સચિવ હતા. તેઓ વિજીલન્સ અને એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ કામ કરી ચૂકયા છે. ઉપરાંત એડમિનિસ્ટ્રેશન અને સ્પેશિયલ બ્રાંચમાં કામગીરીનો પણ અનુભવ ધરાવે છે. તેઓ એસપીજીમાં ડીઆઇજી અને આઇજી પણ રહી ચૂકયા છે. તેઓ મનોવિજ્ઞાન વિષય સાથે અનુસ્નાતકની ડિગ્રી ધરાવે છે. સિંહાને વર્ષ 2000માં પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2006માં તેઓ રાષ્ટ્રપતિના હસ્તે પોલીસ પદક મેળવી ચૂકયા છે. કુલ 40 જેટલા અધિકારીઓના નામ પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યા બાદ આખરે નવા સીબીઆઇ ડિરેકટર તરીકે અનિલ સિંહાના નામ પર મંજુરીની મહોર મારવામાં આવી હતી.