નવી દિલ્હીઃ દેશની ટેક્સ નીતિ માટે વર્ષ 2017 ઘણું મહત્વનું રહ્યું. ચાલુ વર્ષમાં ન માત્ર જીએસટી લાગુ કરવામાં આવ્યો. પરંતુ તેમાં અનેક ફેરફાર પણ કરાયા. મોદી સરકારે જીએસટી હેઠળ સામાન્ય માનવીને રાહત આપવા માટે અનેક ચીજવસ્તુઓ પર રેટ ઘટાડયા. તો ધંધાર્થીઓ માટે રિફંડ ક્લેમ કરવાનું કામ પણ સરળ કર્યું.
જોકે નવા વર્ષમાં જીએસટી સામાન્ય માનવીની સાથે જ દેશની અર્થવ્યવસ્થાને રાહત આપવાનું કામ કરશે. નવા વર્ષમાં જો પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં સમાવાયા તો તેની કિંમતો ઘટી શકે છે. જો પેટ્રોલ-ડીઝલ જીએસટીમાં સમાવાશે તો 45 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ મળશે. તો રિયલ એસટી
જીએસટીના અંડરમાં આવશે તો સામાન્ય માનવીને ઘર ખરીદવામાં સરળતા મળી શકે છે. જેનાથી કર ચોરી પર લગામ લાગશે. અને ઘર ખરીદવું સસ્તું થશે. આ સાથે નવા વર્ષમાં ટેક્સ સ્લેબમાં ઘટાડો થશે. વર્તમાન 5 ટકા ટેક્સ સ્લેબને ઘટાડી 2 ટકા કરવામાં આવી શકે છે.
જ્યારે 28 ટકા ટેક્સ સ્લેબને સમાપ્ત કરવામાં આવી શકે છે. આ ઉપરાંત ઓફ લાઈન ટુલની મદદથી ધંધાર્થીઓ પોતાના કારોબાર અને તેના પર લાગતા જીએસટીનો હિસાબ કિતાબ સરળતાથી રાખી શકે છે. આ સાથે જ નવા વર્ષમાં દેશની અર્થવ્યવસ્થામાં સુધારો થઈ શકે છે.