દરેક વ્યક્તિનું એક સ્વપ્ન હોય છે કે પોતાનું ઘરનું ઘર હોય. પરંતુ કેટલાય લોકો આ ખરીદી કરવામાંટે થઇને ખુબ જ ઉત્સાહિત હોય છે. પરંતુ કયા માળે ફ્લેટ લેવો તેના માટે કેટલાક સવાલો તેમને પરેશાન કરતા હોય છે.
પરંતુ ફેંગશુઇ મુજબ સૌથી ઉપરના માળે રહેલ ફ્લેટ ક્યારેય ના લેવો જોઇએ. કારણ કે ફ્લેટની ઉપરના માળે રહેલ પાણીની ટાંકીને અશુભ માનવામાં આવે છે. જો કદાચ તમે સૌથી છત પર રહેલ ફ્લેટ ખરીદવાનું વિચારતા હોવ તો તે વિચાર કાઢી નાખવો જોઇએ.
ઘરની ઉપર રહેલ પાણીની ટાંકીને કારણે દોષ ઉત્પન્ન થાય છે જેને ફેંગશુઇની રીતે અશુભ માનવામાં આવે છે. કદાચ જો છત પર ફ્લેટ લેવાનું વિચારતા હોવ તો બેડરૂમની એકદમ ઉપરનાં ભાગે જો પાણીની ટાંકી રાખવામાં આવી હોય તે પણ અશુભ વાત છે.તેના લીધે આર્થિક રીતે પણ નુકસાન ભોગવવા માંટે તૈયાર રહેવુ જોઇએ.