રાજકોટ શહેરમાં મનપાની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના બેડી યાર્ડ અને આસપાસ વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ સખત વધતો ગયો છે. વારંવાર રજૂઆત કરવામાં આવતાં છતાં કોઇ પગલા લેવામાં આવ્યા નથી.
આ અંગે પ્રાપ્ત થતી વિગતોનુસાર રાજકોટ બેડી યાર્ડ અને આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવ મામલે વેપારીઓ અને એજન્ટોએ ચીમકી ઉચ્ચારી છે. વેપારી એજન્ટોએ આવતીકાલથી યાર્ડનું કામકાજ બંધ કરવાની ચીમકી આપી છે. તેમજ ચક્કાજામ પરણ કરીશું એવી ચીમકી અપાઇ છે.
મહત્વપૂર્ણ છે કે કલેકટર અને મનપાને 14 દિવસ પહેલા વેપારીઓએ રજૂઆત કરી હતી. છતાં તંત્ર દ્વારા કોઇ પગલા ન લેવાતા યાર્ડના એજન્ટો વેપારીઓમાં ઉગ્ર રોષ ફેલાયો છે.