છોટાઉદેપુરના નસવાડીમાં ખેલ મહાકુંભમાં ખુબ ગંભીર એવી બેદરકારી સામે આવી છે. એકલવ્ય તિરંદાજી એકેડમીના આ દ્રશ્યો છે. જયાં સુવિધાના અને આયોજનના અભાવે ખેલાડીઓ સ્કૂલની બેચ પર અને ઓટલા પર સુઇ રહયાં છે. તો વળી રૂમમાં લાઇટ અને પંખા તેમજ સ્વચ્છતાનો પણ અભાવ ઉડીને આંખે વળગી રહ્યો છે. અહીં ગાંધીનગર રાજકોટ સહિતના વિદ્યાર્થીઓ ભાગ લેવા આવ્યા હતા.
ટુર્નામેન્ટમાં 200 જેટલા ખેલાડીઓ આવ્યા હતા. ખેલ મહાકુંભને લઇને થતાં આયોજન માટે લાખો રૂપિયા ફાળવવામાં આવ્યા હોવા છતા આવી બેદરકારી સામે આવી છે. ખેલાડીઓ પરેશાન થયા છે. જયારે આ દ્રશ્યોથી એવું પણ સાબિત થાય છે કે કયાંક ને કયાંક આવા આયોજનોમાં અધિકારીઓએ વહીવટ કર્યો હોય શકે છે.