નવી દિલ્હી: 15 ડિસેમ્બરથી શરૂ થઇ રહેલા શિયાળુ સત્ર પહેલા લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને એક સર્વદળીય બેઠક બોલાવી છે. આ બેઠકનો હેતુ સંસદનું કામકાજ સારી રીતે ચલાવવા સહિત વિવિધ મહત્વના મુદ્દાઓ પર અલગ અલગ રાજકીય દળો સાથે ચર્ચા કરવાનો છે.
મળતી માહિતી અનુસાર મહાજને સાંજે સાત વાગે આ બેઠક બોલાવી છે. લોકસભા અધ્યક્ષ સાથે રાજકીય દળોની ચર્ચા બાદ ડિનર કાર્યક્રમ પણ હશે. શિયાળુસત્રમાં હોબાળો થવાની શક્યતાઓ છે. કોંગ્રેસ સહિત વિપક્ષી દળ અનેક મુદ્દાઓ પર પીએમ મોદી પર નિશાન તાકી શકે છે.
આ સત્રમાં GST અને નોટબંધીને લાગુ કરવાના નિર્ણયને લઇને કોંગ્રેસ સરકાર પર હુમલો કરશે. કોંગ્રેસ શરૂઆતથી નોટબંધી અને GSTના નિર્ણયનો વિરોધ કરતી આવી છે.