અંબાજીઃ માં આદ્ય શક્તિની મહિમાનો આજથી પ્રારંભ અને ખેલૈયાઓ આતુરતાથી જેની રાહ જોતા હોય છે તે નવરાત્રી. ત્યારે અંબાજી ખાતે માં અંબે માંના ધામમાં નવરાત્રી દરમિયાન ચાચર ચોકમાં ગરબાની રમઝટ જામશે અને ગરબા રૂપે માં શક્તિની આરાધના ભક્તો કરશે. નવરાત્રીના પથમ દિવસે લાખો ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યુ હતુ.
મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભટ્ટજી દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. આમ તો અંબાજીમાં ચૈત્રી અને આસો એમ બે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. આસો મહિનાની નવરાત્રીનું પણ ખાસ મહત્વ રહેલુ હોય છે. જો કે યાત્રીકો માટે સુરક્ષાની અને દર્શનની મંદિર દ્વારા ખાસ યોજના કરવામાં આવી છે.
જગ વિખ્યાત યાત્રાધામ અંબાજીમા આજથી આસો નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે માના ચરણમા શીશ જુકાવવવા અને માની આરાધના કરવા દેશભરમાથી માઇ ભક્તો માતાજીના પ્રથમ નવરાત્રે અંબાજી આવી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે અંબાજીમા સમગ્ર નવરાત્રી દરમ્યાન ભક્તોનું ઘોડાપુર ઉમટશે. સમગ્ર નવરાત્રી દરમ્યાન ચાચર ચોકમા ગરબા સ્વરૂપે મા શક્તિની આરાધના થશે. જોકે આજે નવરાત્રીના પ્રથમ દિવસે હજારો માઇભક્તો માના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી.
માં શક્તિની આસોની નવરાત્રી મુખ્ય ગણાય છે ત્યારે અંબાજીમા ભટ્ટજી મહારાજ દ્વારા આજે ગટ સ્થાપનની વિધિ કરાઈ હતી અને આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. માતાજીએ નવરાત્રી દરમ્યાન રાક્ષસોનો સંહાર કરેલો જેને લઈ આ નવરાત્રીનું ખૂબ જ મહત્વ છે. લાખો માઇ ભક્તો નવરાત્રી દરમ્યાન માના દર્શન કરી અને માની આરાધના કરે છે અને ધન્યતા અનુભવે છે.
નવરાત્રી દરમ્યાન માના ચાચર ચોકમા ગરબાની રમઝટ બોલાવી માઇ ભક્તોમા શક્તિની આરાધના કરશે. જેને લઇ યાત્રિકોની સુરક્ષા અને દર્શનને લઈ અંબાજી મંદિર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.