અમદાવાદ: નવરાત્રિ પર્વનો આરંભ થઈ ચૂક્યો છે. આદ્યશક્તિને અનેક નામોથી સંબોધન થાય છે. પછી તે અંબા હોય કે દુર્ગા મહાકાલી હોય ભુવનેશ્વરી ભક્તો શ્રદ્ધાપૂર્વક ઉપરાંત લાડપૂર્વક શક્તિનાં નામનો ઉલ્લેખ કરતા હોય છે. અનેક નામો પુરાણકાળથી પ્રચલિત છે તો અનેક લોકબોલીમાં ચલણી બન્યાં છે.
જનમાનસમાં લક્ષ્મી મહિષાસુરમર્દિની બ્રાહ્મી વગેરે નામો પ્રચલિત છે પણ કેટલાંક નામો બહુ જાણીતાં નથી. અથવા તો સ્ત્રોત કે અન્ય શ્લોકોના પઠન વખતે જ બોલાતાં હોય છે. જેમકે ચિદ્શક્તિરૃપા એટલે ચિતા જેમનાથી અધિક ભાવ્યા નથી તેવાં એટલે અભવ્યા તપ વેળાએ પાંદડું પણ નહીં આરોગનારાં એવાં અપર્ણા કહેવાયાં છે. આવાં જ નામોમાં જ્ઞાાના ક્રિયા અનંતા વગેરે પણ છે.
શ્રી વિશ્વસારતંત્ર અંતર્ગત દુર્ગા અષ્ટોત્તર શત નામ સ્ત્રોતમાં ૧૦૮ નામો દર્શાવાયાં છે જે જાણવાં રસપ્રદ થઈ પડે તેમ છે. 'શતનામ પ્રવક્ષ્યામિ શૃણુષ્વ કમલાનને....એમ કહીને આ સ્ત્રોતનો આરંભ થાય છે.'
ચિન્તા પણ એક નામ છે ! દેવીનાં નામોમાં પછી શાંભવી દેવમાતા રત્નપ્રિયા સર્વવિદ્યા દક્ષકન્યા દક્ષયજ્ઞાવિનાશિની અપર્ણા અનેકવર્ણા પાટલા પાટલાવતી પટ્ટાંબરપરિધાના કલમંજીરરંજિની અમેય વિક્રમા ક્રૂરા સુંદરી સુરસુંદરી વનદુર્ગા માતંગી મતંગમુનિપૂજિતા બ્રાહ્મી માહેશ્વરી ઐન્દ્રી કૌમારી વૈષ્ણવી ચામુંડા વારાહી લક્ષ્મી પુરૃષાકૃતિ વિમલા જેવાં નામો પણ વર્ણવાયાં છે.
જ્ઞાાના ક્રિયા અને નિત્યા એવાં નામો પણ છે તો બુદ્ધિદા બહુલા બહુલપ્રેમા સર્વવાહનવાહના ઉપરાંત શુંભ-નિશુંભ જેવા અસુરોને હણનારી માતા એટલે નિશુંભશુંભહતની તરીકે પણ ઓળખાય છે. આવી જ નામમાળામાં મહિષાસુરમર્દિની મધુ કૈટભહંત્રી ચંડમુંડવિનાશિની સર્વાસુરવિનાશા સર્વદાનવઘાતિની સર્વશાસ્ત્રમયી સત્યા સર્વાસ્ત્રધારિણી અનેકશસ્ત્રહસ્તા અનેકાસ્ત્રધારિણી કુમારી એકકન્યા કૈશોરી યુવતી યતિ અપ્રૌઢા પ્રૌઢા વૃદ્ધ માતા તરીકેનો પણ ઉલ્લેખ છે.
બાકીનાં નામો પણ છે. જેમકે બલપ્રદા અર્થાત્ બળ આપનાર કે મુક્તકેશી એટલે કે જેના કેશ (વાળ) ખુલ્લા છે તે. એ પછીનાં નામોમાં મહોદરી ઘોરરૃપા મહાબલા અગ્નિજ્વલા રૌદ્રમુખી કાલરાત્રિ તપસ્વિની નારાયણી ભદ્રકાળી વિષ્ણુમાયા જલોદરી શિવદૂતી કરાલી અનંતા પરમેશઅવરી કાત્યાયની સાવિત્રી પ્રત્યક્ષા બ્રહ્મવાદિની છે