ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 7 નવેમ્બરમા તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડમાં કેરલ ક્રિકેટ એસોસિયેશન (KCA)માં પહેલી ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આખો દિવસ વરસાદ આવવાને કારણે મેચ 8-8 ઓવરોની કરવામાં આવી હતી.
નિયમો અનુસાર મેચ શરૂ થયા પહેલા બંને ટીમને પોત-પોતાના રાષ્ટ્રગીત માટે ઉભા રહેવાનું હતુ. જોકે આ મેચના પહેલા રાષ્ટ્રગીત ન ગાઇને અને ટૉસની બાદ તરત જ મેચ શરૂ કરી દીધી હતી.
KCAના સચિવે જયેશ જોર્જમાં પોતાની ભૂલ માની હતી. તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ કે ''હા મારી તરફથી ભૂલ થઇ છે. અમે તમામ લોકો મેદાન પર હતા અને વરસાદ પછી મેચ શરૂ કરાવવાની જલ્દીમાં હતા. અમે રાષ્ટ્રગીત ગવડાવવાનું ભૂલી ગયા. આ અમારી તરફથી એક ગંભીર ભૂલ છે અને હું દેશની માફી માંગું છું. આવું ફરી ક્યારેય નહી થાય.''
ઉલ્લેખનીય છે કે તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પહેલી ઇન્ટરનેશનલ મેચ રમાઇ જેમાં ભારતની જીત થઇ હતી. વરસાદ આવવાને કારણે મેચ મોડી શરૂ થવા છતાં ભારતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ઘ 6 રને જીત મેળવી હતી.