અમદાવાદઃ નરોડા ગામ રમખાણ કેસમાં આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહ્યા. આજે 11 વાગ્યે અમદાવાદની સેશન્સ કોર્ટમાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ કાર્યવાહી દરમિયાન 45 મિનિટ સુધી અમિત શાહ કોર્ટમાં હાજરી આપે તેવી શક્યતા છે.
વર્ષ 2002માં નરોડા ગામ કેસમાં આરોપી માયાબેન કોડનાનીના બચાવપક્ષે સાક્ષી તરીકે જુબાની આપવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સ્પેશિયલ કોર્ટમાં હાજર રહ્યા હતા. માયા કોડનાની અને બાબુ બજરંગી પણ કોર્ટમાં હાજર રહ્યા હતા. અન્ય આરોપીઓ પણ કોર્ટમાં હાજર રહ્યા હતા. માયા કોડનાનીના વકીલ અમિત પટેલ SITના વકીલ વી.કે. મલ્હોત્રા કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટમાં સાક્ષીના નિવેદન લેવાની પ્રકિયા શરૂ કરાઇ હતી.
ઉલ્લેખનીય છે કે 2002માં અમદાવાદમાં તોફાનો થયા ત્યારે નરોડા ગામમાં 10 લોકોના મોત થયા હતા. જે મામલે માયાબેન કોડનાની બાબુ બજંરગી સહિતના આરોપીઓ અત્યારે જેલમાં સજા કાપી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લી સુનાવણી દરમિયાન અમિત શાહને નરોડા ગામ કેસમાં સાક્ષી તરીકે રજૂ કરવા માટે હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું હતું જેને લઈને આજે અમિત શાહ સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન હાજર રહ્યા.
શાહ બન્યા સાક્ષી
રમખાણોના કેસમાં શાહે સ્પેશિયલ કોર્ટમાં આપી જુબાની
માયાબેન કોડનાનીના બચાવપક્ષે અમિત શાહે આપી જુબાની
કોર્ટ સમક્ષ અમિત શાહે સવાલોના આપ્યા જવાબ
"માયાબેન 28મી ફેબ્રુઆરી 2002ના દિવસે વિધાનસભામાં હતા"
"હું વિધાનસભાથી સોલા સિવિલ હોસ્પિટલ ગયો હતો"
"સોલા સિવિલમાંથી ફોન આવતા હું સિવિલ ગયો હતો"
"હું ત્યાં પહોંચ્યો ત્યારે મૃતદેહો પહોંચ્યા હતા"
"મૃતદેહો સાથે તેમના પરિવારજનો હતા"
"મને અધિકારીઓએ PMરૂમમાં જતા રોકયો હતો"
"નારણપુરા વોર્ડના નટુભાઇ વાઘેલા હાજર હતા"
"સોલા સિવિલ મારામત વિસ્તારમાં આવતો હોવાથી ગયો હતો"
"એ સમયે માયાબેન વિધાનસભામાં હાજર હતા"
"માયાબેનની સહી હું ઓળખતો નથી"
"હું નીકળતો હતો ત્યારે માયાબેન સિવિલમાં મળ્યા હતા"
"ઘટના સમયે લોકોમાં ભારે રોષ હતો"
"ગોધરામાં ઘણા લોકો મર્યા હતા"
"શ્રદ્વાંજલિનો પ્રસ્તાવ રાખ્યો હતો"
અમિત શાહની ઉલટ તપાસ પણ થઇ
જજે સમજી વિચારીને જુબાની આપવાનું અમિત શાહને કહ્યુ
વિધાનસભા ગૃહમાં કયા પાર્કિગ છે તે મુદ્દે પુછ્યો સવાલ
અમિત શાહે કહ્યુ મને ખબર નથી
"હંમેશા ડ્રાઇવર જ કાર પાર્ક કરે છે"
SITના વકીલ વી.કે મલ્હોત્રા કોર્ટમાં હાજર
સાક્ષીઓ નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ
સરકારી વકીલ સુરેશ શાહ અને ગૌરાંગ વ્યાસ
માયાબેનની સહી હું ઓળખતો નથીઃ શાહ
ગોધરામાં ઘણા લોકો મર્યા હતા એટલે શ્રદ્ધાંજલીનો પ્રસ્તાવ રાખ્યો હતોઃ શાહ
હું વિધાનસભાથી સોલા સિવિલ ગયો હતોઃ શાહ
સોલા સિવિલમાંથી ફોન આવાતા હોવાથી હું ગયો હતોઃ શાહ
હું ત્યા પહોચ્યો ત્યારે મૃતદેહો પહોચ્યા હતાઃ શાહ
મૃતદેહોની સાથે તેમના પરિવારજનો હતાઃ શાહ
મને અધિકારીઓએ પોસ્ટમોર્ટમ રૂમમાં જતા રોક્યો હતોઃ શાહ
નારણપુરા વોર્ડના નટુભાઈ વાઘેલા હાજર હતાઃ શાહ
સોલા સિવિલ મારા મત વિસ્તારમાં આવતો હોવાથી ગયો હતોઃ શાહ