બનાસકાંઠા જિલ્લાના નર્મદા કેનાલમાંથી કનેકશન કાપવાના મામલે આજે બીજા દિવસે પણ અધિકારીઓ નહેર પર પહોંચ્યા હતા. પોલીસના પહેરા વચ્ચે નર્મદા નહેરના અધિકારીઓ દ્વારા ખેડૂતોના કનેકશન કાપવાનુ શરૂ કર્યુ હતું.
નર્મદા અધિકારીઓ દ્વારા કનેકશન કપાતા પાટણ બનાસકાંઠાના ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. અધિકારીઓ આવતા ખેડૂતોના ટોળા એકત્રિત થયા હતા. હોબાળાના અણસારને લઇને DYSP સહિત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં નર્મદા કેનાલમાંથી લોકો દ્વારા ગેરકાયદેસર રીતે પાણી લેવામાં આવે છે. ત્યારે હવે અધિકારીઓએ લાલ આંખ કરી છે. તેમજ ગેરકાયદેસર પાણી લેતા કનેક્શનને કાપી નાંખવામાં આવ્યા છે.