ગાંધીનગરઃ ગુજરાતમાં છઠ્ઠીવાર ભાજપની સરકાર બની છે. ત્યારે આ શપથવિધી સમારોહના મંચ પર PM મોદી તેમના જૂના સાથીદાર એવા કેશુભાઇ પટેલ અને શંકરસિંહ વાઘેલાને મળ્યા હતા. કેશુભાઇ અને શંકરસિંહ સાથે હાથ મિલાવતા પીએમ મોદીએ કોઇ જૂની યાદોને તાજી કરી હતી. સાથે જ મંચ પર વાત ચીત કરીને એક દમ ખડખડાટ હસી પડયા હતા..આ ત્રણેય દિગ્ગજો વચ્ચેની આ જાહેર મુલાકાત ખુબ પણ સૂચક ગણી શકાય છે.
મહત્વનું છે કે શંકરસિંહે મોરચો ખોલી જનવિકલ્પ પાર્ટીની રચના કરી હતી. જેમાં તેમને માત મળી હતી. તેઓ ગુજરાત કોંગ્રેસના નેતા પણ રહી ચૂક્યા છે અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પણ છે. ત્યારે ગુજરાતમાં ભાજપે સ્પષ્ટ બહુમતિ પ્રાપ્ત કરી હતી. જેને લઇ મંત્રીમંડળની શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ શંકરસિંહ વાઘેલા અને આનંદીબહેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન પીએમ મોદીએ નેતાઓ અને મહેમાનો સાથે હાથ મિલાવ્યા હતા. ત્યારે કેશુભાઇ અને શંકરસિંહ સાથે પણ પીએમ મોદીએ હાથ મિલાવીને જૂની યાદોને તાજી કરી હતી.