ગુજરાત ના બે જ્યોર્તિલિંગ પૈકીનું બીજુ જ્યોતિર્લિંગ નાગેશ્વેર મહાદેવ. નાગેશ્વેર મહાદેવને હાલ શ્રવણમાસમાં દરરોજ શૃંગારો આરતી કરવા ભાવિકોનો મહાસાગર ઉમટી પડેછે. શ્રાવણ માસમાં દરરોજ સવારે પાંચ વાગ્યે મંગળા આરતીમાં ભાવિકોનો પ્રવાહ ઉમટી પડે છે.
શ્રાવણ માસ માં આજે પાંચ વાગ્યે આરતી લેવા શિવ ભક્તો બમબમ ભોલે ના નાદ સાથે ઉમટી પડયાં હતાં શિવ ભક્તો નો ઘસારો દર સોમવારે વધુ જોવા મળતો હોય છે ઉપરાંત મહાદેવને શૃંગારો દ્વારા શૃંગાર દર્શન રાખવામાં આવતા હોય છે. સ્થાનિક ભક્તો ઉપરાંત સંખ્યામાં રાજ્ય બહાર થી આવતા ભાવિકો મહાદેવના દર્શન બાદ 85 ફૂટ ઉંચી શિવમૂર્તિ ના દર્શન કરી ધન્યતા અનુભવે છે.નાગેશ્વેર જ્યોર્તિલિંગ
આ મન્દિર આશરે 5500 વર્ષ જૂનું માનવામાં આવે છે. અને અહીં ખુદ દ્વારકાધીશ પૂજા કરી હોવાનું લોક મુખે સાંભળવા મળે છે જાણીતા ફિલ્મ સર્જક સ્વ.ગુલશન દ્વારા આ મન્દિર નો જીણોદ્ધાર કરવામાં આવ્યા બાદ અહીં પ્રવાસીઓ નો પ્રવાહ વધ્યો છે અહીં દારુકા નામ ના રાક્ષશ ની કથા પણ જાણીતી છે.
હાલ શ્રાવણ માસમાં ભાવિકો ના પ્રવાહ થી મન્દિર નું પ્રાંગણ કૈલાશ ધામ ની જેમ હરહર મહાદેવના નાદ સાથે આખો દિવશ ગુંજી ઉઠતું હોય છે ભારતભર ના 12 જ્યોર્તિલિંગ માનું આ નાગેશ્વેર મહાદેવ અનેચાર ધામમાનું એક ધામ એટલે ભગવાન દ્વારકાધીશ નું ધામ એટલે હરિ અને હર બંને ના દર્શન એક સાથે કરવા નો મોકો પ્રવાસીઓ મળે છે.