ભારત દેશમાં ભાત-ભાતનો લોકો નિવાસ કરે છે. સમભાવ વિચારધારાથી સતત ધબકતી રહેતી ભારતીય સંસ્કૃતિના કેટલાય એવા સ્થળો જેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે.
આવુ જ એક આસ્થાનું પ્રતિક એટલે સિગારેટવાળા બાબા. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આવેલી એક એવી મજાર જ્યાં શ્રધ્ધાળુઓ ચાદર નહીં સિગારેટ ચડાવે છે. લખનઉમાં આવેલી આ કબર અંગ્રેજી ક્રિશ્ચિયન સિપાહીની છે.
પરંતુ આ કબરના દર્શન કરવા હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો મોટી સંખ્યામાં રોજે-રોજ મોટી સંખ્યામાં આવી ચડે છે. અહીં આવતા ભાવિકો મઝાર પર સિગારેટ ચડાવે છે. લોકો આ કબરને સિગારેટવાળા બાબાના નામે ઓળખે છે.
લોકો પાસેથી જાણવા મળેલ વાત મુજબ વર્ષો પહેલાં લખનઉમાં અંગ્રેજ સૈનિકો અને ભારતીયો વચ્ચે ગોળીબાર થયો ત્યારે અહીંની એક ઇમારત તુટી પડતા કેપ્ટન વેલ્સ માર્યા ગયા હતા. તેમને દારૂ અને સિગારેટ વધુ પસંદ હતા. વેલ્સ નામના આ અંગ્રેજ અધિકારી ક્યારે સિગરેટ બાબા તરીકે ક્યારે જાણીતા બની ગયા તે કોઇને ખબર નથી. પરંતુ આ જગ્યા આજેપણ લોકોની શ્રધ્ધાનો વિષય છે.
આ કબર સાથે એક એવી લોકમાન્યતા જોડાયેલી છે કે જેણે પ્રેમી કે પ્રમિકા ગુમાવી હોય તે આ મજાર પર આવી સિગારેટ ચડાવે તો તેની મનોકામના બાબા અચુક પુરી કરે છે. આજે પણ આ મજાર પર માથું ટેકવવા માંટે ઠેર-ઠેરથી લોકો આવી પહોંચે છે. અંતે ગુજરાતના જાણીતા કવિ જલન માતરીનો એક શેર યાદ આવે છે કે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.