ॐ શબ્દ ભલે એકદમ નાનો છે પરંતુ તે એક વિશાળ અર્થ ધરાવે છે અને તેના ઉચ્ચારણથી ફાયદા પણ અનેક થાય છે. ॐ શબ્દનું રોજ ઉચ્ચારણ કરવાથી માનસિક તણાવ ઓછો થાય છે અને શારિરીક તકલીફ પણ ઓછી થાય છે. પરંતુ ॐ નું ઉચ્ચારણ કરતા પહેલાં આ ચાર બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
- ॐ નો જાપ કરતા પહેલાં શાંત વાતાવરણની પસંદગી કરવી જરૂરી છે. તથા ખુલી હવાવાળી જગ્યા પણ ફાયદાકારક છે.
- આ મંત્રનો જાપ વહેલી સવારે અથવા રાત્રે સુતા પહેલા કરવાથી અનેક ફાયદા થાય છે.
- જમીન પર આસન પાથરીને ઉંચા અવાજ સાથે પદ્માસનની સ્થિતિમાં બેસીને આંખો બંધ કરીને કરવાથી વિવિધ પ્રકારના ફાયદા થાય છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય શાસ્ત્રોમાં દર્શાવવામાં આવેલ તમામ મંત્રો વિશાળ અર્થ ધરાવે છે તથા દરેક મંત્રની શરૂઆત ॐ થી જ થાય છે જેના લીધે મંત્રનો પ્રભાવ પણ વધી જતો હોય છે.