જૂનાગઢઃ જૂનાગઢના માંગરોળમાં એકજ પરિવારના 4 સભ્યોની હત્યા કરાઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ હદય દ્વાવક ઘટના માંગરોળમાં આવેલા માનખેત્રા ગામના વાડી વિસ્તારમાં બનવા પામી છે. જેમાં પત્ની એક પુત્રી સહિત કુલ 4 સભ્યોની કરપીણ રીતે હત્યા કરવામાં આવી છે. આ હત્યા કોઇ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરાઇ હોવાની આશંકા સેવાઇ રહી છે. આ હત્યા કોણે અને શા માટે કરી તે અંગે હજૂ રહશ્ય અકબંધ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીને પકડવા ચક્રોગતીમાન કર્યા છે.