મુંબઇ: મુંબઇમાં રેલવે સ્ટેશનના ફુટઓવર બ્રિજ પર ભાગદોડના કારણે 22 લોકોના મોત થયા છે. શુક્રવારે સવારે મોટી ઘટના પરેલ અને એલફિંસ્ટન રેલવે સ્ટેશનની વચ્ચે ઓવર બ્રિજ પર થઇ. 35 થી વધારે લોકો ઘાયલ થયા છે. જાણવા મળી રહ્યું છે કે વરસાદના કારણે ઓવરબ્રિજ લપસી પડાય એવું હતું રેલિંગનો ભાગ ટૂટવાથી આ ઘટના બની. નોંધનીય છે કે મુંબઇમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે પણ ભારે વરસાદ ચાલુ છે અને આ વચ્ચે ત્યાં શોર્ટ સર્કિટ થવાના ડરને કારણે અચાનકથી સ્ટેશન પર દોડધામ મચી ગઇ છે. ભાગદોડના કારણે ફુટ ઓવર બ્રિજની રેલિંગ ટૂટીને પડી ગઇ જેનાથી આ દુર્ઘટના થઇ ગઇ. ઘાયલોને KEM હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.
- શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકર ઘાયલ થનાર લોકોની હાલચાલ પૂછવા હોસ્પિટલ પહોંચ્યા.
- મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું.
- રેલમંત્રી પીયૂષ ગોયલે ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. એમણે કહ્યું છે કે વેસ્ટર્ન રેલવેના ઓફિસર તપાસ કરશે.
- મુંબઇમાં થયેલી ભાગદોડમાં મૃતકોના પરિવારોને 5-5 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના મંત્રી વિનોદ તાવડેએ જાહેરાત કરી છે.
- મહારાષ્ટ્રના એનસીપી નેતા ધનંજય મુંડેએ ઘટના બાદ કહ્યું કે બુલેટ ટ્રેનની જગ્યા આપણએ રેલ્વેમાં સુધાર કરવો જોઇએ.
- રેલ રાજ્યમંત્રી મનોજ સિન્હીએ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. એમણે ટ્વિટ કરીને કહ્યું કે રેલમંત્રી પીયૂષ ગોયલ આ ઘટના પર ધ્યાન રાખી રહ્યા છે.
- ઘાયલોની સંખ્યા 35 થઇ ગઇ છે.
- જો કે આ ઘટના જોનાર એક યુવકે જણાવ્યું કે અમે 10:34 પર રેલ્વે પ્રશાસનને ફોન કરીને દુર્ઘટનાની જાણકારી આપી હતી. પરંતુ અડધો કલાક સુધી કોઇ આવ્યું નહતું. અમે પહેલા પણ રેલવેના આ બ્રિજ માટે પણ ફરીયાદ કરી હતી.
- ઘટનામાં મરનાર લોકોની સંખ્યા 22 પહોંચી ગઇ છે.
- ઘાયલોને નજીકની KEM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Three dead more than 20 injured in a stampede at Elphinstone railway station's foot over bridge in Mumbai pic.twitter.com/EipEENFNaI
- હોસ્પિટલ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે 15 લોકો પહેલા જ મરી ગયા હતા. બારકી 20 ની સારવાર ચાલી રહી છે.
- KEM હોસ્પિટલમાં લોહીની ખામી છે મુંબઇ પોલીસે લોકો પાસે મદદ માંગી છે. હોસ્પિટલમાં નેગેટિવ બી નેગેટિવ એબી નેગેટિવ લોહીની ખામી છે.
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું. - આ દુર્ઘટના બાદ બીએમસી તરફથી હેલ્પલાઇન નંબર પણ ચાલુ કર્યો છે. આ નંબર છે- 24136051 24107020 24131419
મુંબઇના દરેક રેલવે સ્ટેશન પર સવારથી જ હજારો યાત્રીઓ પોતાના કામ માટે રેલવેનુો ઉપયોગ કરતાં હોય છે. એવામાં આજે પરેલ રેલવે સ્ટેશન પર ભાગદોડ થઇ ગઇ છે. જો કે પોલીસ હાલમાં આ ઘટનાની તપાસ કરી રહી છે. 1 મિનીટમાં આ બ્રિજ પરથી આશરે 200 થી 250 લોકો પસાર થતાં હોય છે. ત્યારે તંત્ર દ્વારા પણ ભૂતકાળમાં આવી દુર્ઘટના ઘટી શકે છે એવી ચેતાવણી આપી હોવા છતાં કોઇ પગલાં લેવામાં આવ્યા નહતા. અંતે આજે આ ઘટના સર્જાતા લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે.