મુંબઇ: દક્ષિણ મુંબઇના નાગપાડા વિસ્તારમાં એક રેલીને સંબોધિત કરતી વખતે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર એક વ્યક્તિએ જૂતુ ફેક્યું છે. પોલીસે જણાવ્યું કે સાંસદને જૂતુ લાગ્યુ નહીં અને આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. તેની ધરપકડ કરવામાં આવશે.
રાતના સમયે ત્રિપલ તલાક મુદ્દાની વિરૂદ્ધ ઓવૈસી સંબોધન કરી રહ્યા હતા અને તે સમયે આ ઘટના બની હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારાએ જૂતુ ફેંકનારાની ઓળખ કરી લીધી છે. અને તેની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઓવૈસીએ કહ્યું 'હું મારા લોકતાંત્રિક અધિકાર માટે મારો જીવ આપવા તૈયાર છું. આ બધા નિરાશ લોકો છે જે એવું નથી જોઇ શકતાં કે ત્રણ તલાક પર સરકારનો નિર્ણય જનતા ખાસરીતે મુસલમાનોને સ્વીકાર કર્યો નથી.'
એમને કહ્યું કે 'આ લોકો એ લોકોમાંથી છે જે મહાત્મા ગાંધી ગોવિંદ પાનસરે અને નરેન્દ્ર ડાભોલકરના હત્યારોની વિચારધારાનું અનુસરણ કરે છે. '