મુંબઇ: મુંબઇમાં રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકર્તાઓની ગુંડાગીરી ઓછી થવાના બદલે વધતી જ જઇ રહી છે. ગુરૂવારની સાંજે MNS કાર્યકર્તાઓએ માનખુર્દ રેલવે સ્ટેશનની બહાર ઉભેલા ફેરિયાઓની દુકાનો તોડી નાખી હતી.
ત્યાર બાદ પોલીસે મનસેના 11 કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. માનખુર્દ રેલવે સ્ટેશનની બહાર બેઠેલા એક નારિયળવાળાની દુકાન પર હુમલો કર્યો હતો. અને તેમાં તોડફોડ કરી હતી ત્યારે આજે કાર્યકર્તાઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવુ જાણવા મળ્યુ હતુ.