મુંબઇ: થોડા દિવસો અગાઉ બનેલી મુંબઇના પબ અગ્નિકાંડની ઘટનામાં મુખ્ય આરોપીની પોલીસે અંતે ધરપકડ કરી લીધી છે. કમલા મિલ્સમાં 29 ડિસેમ્બરે થયેલા અગ્નિકાંડ કેસમાં '1 એબવ' પબના માલિકો કૃપેશ સંઘવી અને જિગર સંઘવીની ધરપકડ કરી લેવામાં આવી છે.
ઘટના બાદ ફરાર ચાલી રહેલા સંઘવી બંધુઓને અંધેરી વિસ્તારમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે '1 એબવ' પબના માલિક સંઘવી બંધુ અને અભિજીત મંકારને કથિત રૂપથી આશરો આપવાને લઇને એક હોટલ માલિક વિશાલ કરિયાને મંગળવારે ધરપકડ કરી હતી. આ ત્રણેય ઉપર બિન ઇરાદાપૂર્વક હત્યા અને બીજી ધારાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે એમની જગ્યા દેખાડનારને એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. અભિજીત મંકાર હજુ પણ ફરાર છે. અભિજીત ઉપરાંત મોજો રેસ્ટોરાંના માલિક યુગ તુલી હજુ પણ ફરાર છે.
સંઘવી બંઘુઓની ધરપકડ ફિલ્મી અંદાજની જેમ કરવામાં આવી છે. ધરપકડ માટે બનેલી ટીમે પહેલા વિશાલ કરિયા નામના એક હોટલ માલિકને પોતાના શિકંજામાં લીધા. જૂહુ માં વિશાલના ઘરથી ફરાર સંઘવીની કાર જપ્ત કરવામાં આવી. બુધવારે વિશાલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. જ્યાંથી 17 જાન્યુઆરી સુધી પોલીસને એમની કસ્ટડી મળી ગઇ.