મુંબઈના ભિંડી બજારમાં ઈમારત ધરાશાયી થતાં અત્યાર સુધી કુલ 34 લોકોના મોત નિપજ્યા છે. દક્ષિણ મુંબઈના ભિંડી બજારમાં જેજે જંક્શન પાસે છ માળની રહેણાંક ઈમારત ગુરુવારે સવારે ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધી 34 લોકોના મોત નિપજ્યા છે.
જ્યારે 22 લોકો ઘાયલ છે અને હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે દટાયેલા છે. સ્થાનિક નાગરિકોનું માનીએ તો ઈમારતમાં નાના બાળકોનું પ્લે ગ્રુપ પણ હતું. જેમાં 10 વાગ્યા બાદ બાળકો આવતા હોય છે. જોકે ઘટના સવારે 8 વાગ્યાની આસપાસ ઘટી હતી. સ્થાનિકોનું માનીએ તો બિલ્ડિંગ 117 વર્ષ જૂની હતી. જોકે હજુ પણ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાટમાળ હટાવીને મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે.