મુંબઇઃ અંધેરી-CST હાર્બર લોકલ ટ્રેનના 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. માહિમ દક્ષિણની નજીક 9.55 કલાકે આ અકસ્માત સર્જાયો હતો. વડાલા અને અંધેરી વચ્ચેની ટ્રેનો પ્રભાવિત થઇ છે. આ લોકોલ ટ્રેનોને મુંબઇની લાઇફ લાઇન કહેવામાં આવે છે. અહીં દરરોજ લોકલ ટ્રેનોમાં લાખો લોકો વિહાર કરે છે. જો કે હજી સુધી કોઇ જાનહાનિ થવા પામી નથી. આઈ ઘટના વડાલા-અંધેરી વચ્ચે સર્જાઇ હતી.
એક પછી એક ટ્રેન ધમધમતી રહે છે. હાલમાં જ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર અને કાનપુરની પાસે ટ્રેન દુર્ઘટના બની છે. મુઝફ્ફરનગરમાં 30થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને લઇ રેલવે બોર્ડ ચેરમેન પદથી અશોક કુમાર મિત્તલે પોતાનું રાજીનામું આપ્યું હતું. ત્યારે રેલમંત્રી સુરેશ પ્રભુએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જોકે પીએમ મોદીએ તેના પર કોઇ નિર્ણય લીધો ન હતો.