સુરતના બંદુગરા નાકાના લાલ દરવાજા વિસ્તારમાં એક ચાર માળનું બિલ્ડિંગ એક તરફ નમી ગયું હતુ. જેથી આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો.
આ બિલ્ડિંગ એક તરફ નમી જતાં તેમાં રહેતા રહેતા લોકો પોતાના સામાન લઇને ઘરની બહાર દોડી આવ્યા હતા અને લોકોના ટોળા એકઠાં થયા હતા. આ ઘટનાની જાણ થતા મ્યુનિુસિપલ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યુ હતુ. જો કે મોટી દુર્ઘટના સર્જાય તે અગાઉ મકાનને ઉતારી લેવા પાલિકા દ્વારા નોટિસ પાઠવી દેવામાં આવી છે.