શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા શરૂ થઇ ગઇ છે. બરફવર્ષાના કારણે અનેક રસ્તાઓ બંધ થઇ ગયા છે. ત્યારે લોક નિર્માણ વિભાગની મિકેનિકલ શાખાના કર્મચારીઓ અને અધિકારીઓએની મહેનત બાદ મુગલ રોડ પરથી બરફ હટાવી દેવામાં આવ્યો છે.
મંગળવારની બપોરથી રસ્તો શરૂ કરી દેવામાં આવ્યો છે. મુગલ રોડ દ્વારા લોકો એક ઘાટીથી પૂંછ અને રાજૌરી પહોચી શકે છે. પાછલા ઘણા દિવસથી બરફવર્ષાના કારણે મુગલ રોડ બંધ થઇ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે જમ્મૂ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા શરૂ થઇ ગઇ છે ત્યારે અનેક રોડ-રસ્તાઓ બરફથી ઢંકાય ગયા હતા. જેને લઇ વાહન-વ્યવહાર ઠપ્પ થયો હતો. ચાર દિવસ રસ્તો બંધ રહ્યા બાદ આજે બરફ હટાવીને મુગલ રોડ ખુલ્લો મુકાયો હતો.