ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટરે MSK પ્રસાદે તાજેતરમાં દિગ્ગજ પ્લેયર મહેન્દ્ર સિંહ ધોનીના વખાણ કર્યા છે. પ્રસાદે સ્પષ્ટ કર્યુ કે ''ધોની 2019ના વર્લ્ડ કપ સુધી ભારતીય ટીમનો વિકેટકીપર હોઈ શકે છે. તેમણે કહ્યું કે ''જે યુવા વિકેટકીપરોને તક આપવામાં આવી છે તેમાંનો કોઈ ધોનીની નજીક પણ પહોંચી શક્યા પણ નથી.''
પ્રસાદની વાતથી એ તો સ્પષ્ટ થઈ ગયું છે કેદિલ્હીના કેપ્ટન ઋષભ પંત વિશે હવે વધુ વિચારી રહ્યાં નથી કારણ કે 32 વર્ષીય દિનેશ કાર્તિકને હવે બીજા વિકેટકીપર તરીકે તક અપાઈ રહી છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કેશું તેઓ ધોનીને દરેક સીરીઝ સાથે જોઈ રહ્યાં છે ત્યારે તેમણે કહ્યું કે ''અમે કેટલાક વિકેટકીપર્સને ભારત એના પ્રવાસ દરમિયાન ગ્રૂમ કરી રહ્યાં છીએ. પણ અમે લગભગ નક્કી કરી ચૂક્યાં છીએ કેવર્લ્ડકપમાં ધોની વિકેટકીપિંગ કરશે. ત્યારબાદ અમે તે કેટલાક વિકેટકીપરોને ગ્રૂમ કરવાનું શરૂ કરશે.''
પ્રસાદે આગળ કહ્યુ કે ''મને લાગે છે કે મહેન્દ્ર સિંહ ધોની હજુ પણ દુનિયાના નંબર 1 વિકેટકીપર છે. શ્રીલંકા વિરુદ્ધની T-20 સીરીઝમાં પણ તેણે જે પ્રકારના સ્ટમ્પિંગ કર્યા અને કેચ પકડ્યા છે તે શાનદાર છે.''
તેમણે કહ્યુ કે. ''ભારતીય ક્રિકેટ તો વાત જ રહેવા દો વર્લ્ડ ક્રિકેટમાં પણ ધોનીની સમકક્ષ આવી શકે તેવો કોઈ વિકેટકીપર નથી.'' પ્રસાદના આ નિવેદન બાદ નક્કી થઈ ગયું છે કેયુવા વિકેટકીપર્સને ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે 2019 સુધી તો રાહ જોવી જ પડશે.
પ્રસાદની આ વાત ઋષભ પંત અને સંજૂ સેમસન જેવા વિકેટકીપર માટે ચિંતા પેદા કરનારી છે. પ્રસાદે કહ્યું કે ''હું તમને સ્પષ્ટપણે કહુંતે ખેલાડીઓ હજુ સુધી અમારી અપેક્ષાઓના સ્તર સુધી પહોંચી શક્યા નથી. અમે તેમને ભારત એ પ્રવાસમાં તકો આપી રહ્યાં છીએજોઈએ કેભવિષ્યમાં તેઓ કયા સ્તરનું પ્રદર્શન કરે છે.'' પ્રસાદ પોતે ભારતીય ટીમના પૂર્વ વિકેટકીપર રહી ચૂક્યા છે.