બનાસકાંઠામાં વિધાનસભા ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયું છે. કેમ કે પાલનપુર સર્કિટ હાઉસ ખાતે સાંસદ લીલાધર વાઘેલા અને કેન્દ્રીય મંત્રી હરિભાઈએ બેઠક યોજી હતી. સાંસદ લીલાધર વાઘેલાના પુત્ર દિલીપ વાઘેલાના પુત્રને ટિકિટ માટે આ બેઠકમાં રજૂઆત થઈ હતી.
મહત્વનું છે કે લીલાધર વાઘેલા ઉત્તર ગુજરાતમાં અગ્રિમ હરોળના નેતા છે. ત્યારે રાજકારણમાં વંશવાદ માટે એક બીજા પર આક્ષેપ કરતા પક્ષોના અગ્રણી નેતાઓ જ પોતાના પુત્રો માટે ટિકિટ માગે ત્યારે નેતાઓની કથની અને કરણીમાં ભેદ જણાઈ આવે છે.
બનાસકાંઠામાં વિધાનસભા ચૂંટણીને લઈ વાતાવરણ ગરમાયું
પાલનપુર સર્કિટ હાઉસ ખાતે 2 સાંસદોની બંધ બારણે બેઠક