મોટાભાગની બેંકો રિઝર્વ બેંકની ગાઇડલાન્સને ભંગ કરતાં સેવિગ્સ એકાઉન્ટ્સમાં મિનિમમ બેલેન્સ કરતાં ઓછું બેલેન્સ હોય તેવા એકાઉન્ટસ પર મનફાવે તેવા ચાર્જિસ લગાવી રહી છે. મિનિમમ બેલેન્સ કરતાં જેટલું બેલેન્સ ઓછું હોય તેના પ્રમાણમાં જ પેનલ્ટી લેવાનો RBIનો નિયમ છેપરંતુ મોટાભાગની બેન્કો તેના કરતા વધારે પેનલ્ટી લેતી હોય છે. મોટાભાગની બેંકોં RBIના નિર્દેશોને ન માનતા ઉચિત પેનલ્ટી નથી લઇ રહી.
IIT મુંબઈના ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સના પ્રોફેસર આશિષ દાસે કરેલ સ્ટડી અનુસારમોટાભાગની બેન્કો દર વર્ષે શોર્ટફોલ અમાઉન્ટના લગભગ 78 ટકા વધારે ચાર્જ કરે છે. RBIએ અકાઉન્ટમાં પૈસા ઓછા હોય કો ગ્રાહકોને દંડ બાબતે ગાઈડલાઈન્સ તૈયાર કરી છેપરંતુ 3 વર્ષ પછી પણ તેનું અમલીકરણ યોગ્ય રીતે નથી થઈ રહ્યું.
રિપોર્ટ અનુસાર RBIની ગાઈડલાઈન પ્રમાણે નુકસાનની(શોર્ટફોલ) જેટલી રકમ હોય તેના પ્રપોશનમાં દંડ લેવો જોઈએ અને સેવિંગ અકાઉન્ટ સર્વિસ પૂરી પાડવાના કોસ્ટ સાથે પેનલ્ટી લિંક થવી જોઈએ.
રસપ્રદ વાત એ છે કે પબ્લિક સેક્ટર બેન્ક્સની સરખામણીમાં મલ્ટીનેશનલ બેન્ક્સમાં ગાઈડલાઈન્સનું વધારે પાલન થઈ રહ્યું છે. કારણકે મલ્ટીનેશનલ બેન્ક્સમાં મિનિમમ બેલેન્સની રકમ ઘણી વધારે હોય છે અને જો તેના કરતા પૈસા ઓછા હોય તો દંડની રકમ પણ મોટી બને છે.
દાસ જણાવે છે કેબેંક મિનિમમ બેલેન્સ કેટલું હોવુ જોઈએ તે નક્કી કરવાની આઝાદી બેન્કોને હોય છે. પરંતુ તેનો અર્થ એ નથી થતો કે દંડ નક્કી કરતી વખતે બેન્કો ગમે તેટલી વધારે રકમ વસુલે. RBIનો આદેશ છે કેસર્વિસ પૂરી પાડવાના કોસ્ટના પ્રમાણમાં દંડ વસૂલવો જોઈએ. આનો અર્થ છે કે બેન્ક્સ સેવિંગ્સ અકાઉન્ટના કોસ્ટની ગણતરી કરેલોન અને ઓવરઓલ કોસ્ટની ગણતરી કરવી યોગ્ય નથી.