પંચમહાલના મોરવા(હડફ)ના ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું આદિવાસીનું પ્રમાણપત્ર રદ કરવાનો આદેશ કર્યો છે ગુજરાત રાજ્યના આદિવાસી કમિશ્નરે ખાંટનું પ્રમાણપત્ર રદ કરવાનો હુકમ કર્યો છે મોરવા(હડફ)અનુસુચિત જનજાતિની અનામત બેઠક છે.
સ્થાનિક આદિવાસી અગ્રણીઓએ ભુપેન્દ્ર ખાંટનું પ્રમાણપત્ર રદ કરવા માંગ કરી હતી અને તેઓએ ખોટી રીતે આદિવાસી હોવાનું પ્રમાણપત્ર મેળવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો જેના લઈ તેમનું પ્રમાણપત્ર રદ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
તો ભુપેન્દ્ર ખાંટ સામે તપાસ માટે વિજિલન્સ ટીમની રચના પણ કરવામાં આવી છે.આ ટીમ આદિજાતી પ્રમાણપત્ર માટે ભુપેન્દ્ર ખાંટ દ્વારા કયાં પુરાવા રજૂ કરાયા હતા અને પ્રમાણપત્ર કયાંથી આપવામાં આવ્યું હતું તે અંગે તપાસ કરશે.આપને જણાવી દઈએ કે ભુપેન્દ્ર ખાંટ સામે વર્ષ 2013-14માં એક અને 2017માં બે અરજી થઈ હતી.