મોટાભાગના પરીવારજનોના ઘરમાં મની પ્લાન્ટનામનો છોડ જોવા મળે છે. આ છોડના વાવેતર પાછળનો હેતુ એવો હોય છે કે આ મની પ્લાન્ટ દ્વારા ઘરમાં લક્ષ્મીજીની કૃપા બની રહે છે અને સુખ-સમૃધ્ધીમાં પણ વધારો થાય છે. આ છોડનું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ ખાસ મહત્વ રહેલુ છે. આ છોડ દ્વારા વાસ્તુદોષને દૂર કરી શકાય છે.
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં અમુક પ્રકારના ઝાડ-છોડ વાવવાથી ઘરમા રહેલ નકારાત્મક ઉર્જાને દૂર થાય છે. પરંતુ આ ઝાડ-છોડ રોપવાની ચોક્કસ દિશા હોવી જરૂરી છેજો છોડને યોગ્ય દિશામાં રોપવામાં આવે તો ઘરમાં સુખ અને સ્મૃદ્ધિ બની રહે છે. જો ખોટી દિશામાં રોપવામાં આવે તો તેનો નુકસાન પણ થઇ શકે છે. મની પ્લાન્ટના છોડને ઘરમાં કયાં રોપવો અને કયાં ન રોપવો તે ખાસ જાણવુ જરૂરી છે.
વાસ્તુશાસ્ત્રમા જણાવ્યાનુસાર મની પ્લાન્ટને ઉત્તર-પૂર્વની દિશામાં ના રાખવો જોઇએ. તેનાથી ઘરમાં સંપત્તિ દૂર ભાગે છે સાથો સાથ પારિવારિક સંબંધોમાં પણ વિખવાદ ઉભો થઇ થકે છે. મની પ્લાન્ટને જમીનમાં ફેલાવાની જગ્યાએ કોઇ દિવાલનો સહારો આપીને ઉપરની બાજુ ચઢાવવો જોઇએ. જો તેની વેલ જમીનમાં ફેલાશે તો ધન પ્રાપ્તિની જગ્યાએ પૈસમાં મોટુ નુકસાન થશે.
મની પ્લાન્ટ રોપતા સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે કયારેય તેના કોઇપણ પાન સૂકાવા ના જોઇએ સમયાંતરે પાણી ચોક્કસ નાંખતા રહેવુ. મની પ્લાન્ટને ઘરની બહાર રોપવાની જગ્યાએ ઘરની અંદર રોપવો ખુબ જ શુભદાયી માનવામાં આવે છે.
ઘરની દક્ષિણ-પૂર્વ દિશાને ભગવાન શ્રીગણેશજીની દિશા માનવામા આવે છે. આથી ઘરમાં મની પ્લાન્ટને દક્ષિણ-પૂર્વ દિશામાં રોપવાથી લક્ષ્મીજીની કૃપા નિરંતર બની રહે છે. તેનાથી હંમેશા સુખ- સમૃદ્ધિ પણ વધે છે તેવુ વાસ્તુશાસ્ત્રમાં જણાવાયુ છે.