અમદાવાદઃ ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જલ થલ અને આકાશમાં છવાઈ ગયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં છે. ત્યારે પીએમ મોદી ગાંધીનગરથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર આવ્યા હતા. જ્યાં વિકાસની ઉડાન કરી હતી. સી પ્લેનથી પર્યટનને બહોળો પ્રતિસાદ મળે તે માટે ઉડાન ભરી હતી. જલ થલ અને આકાશનો અદભૂત નજારો સર્જાયો હતો. રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળ્યો હતો.
પ્રધાનમંત્રી મોદી બીજા તબક્કાના મતદાન આડેની એક પળ પણ પ્રચારમાટે ચૂકવાના મૂડમાં નથી. આજે પીએમ ફરી વખત સાબરમતી નદીના નીર પર સી-પ્લેનથી ઉડાન ભરી હતી.
ત્યાંથી સી-પ્લેનમાં બેસીને જ પીએમ મોદી ધરોઈ ડેમ જવા રવાના થયું. અને ધરોઈ ડેમનની સપાટી પર સી-પ્લેનનું ઉતરાણ કરાવશે. ત્યાંથી 11.30 વાગ્યે અંબાજી માતાના દર્શન કરવા જશે. દર્શન બાદ બપોરે 2.30 વાગ્યે ધરોઈથી સાબરમતી રિવરફ્રંટ પર પરત ફરશે.
ઉલ્લેખનિય છે કે હજુ સુધી કોઈ PM સિંગલ એન્ઝિન SEA-પ્લેનમાં નથી બેઠા. આ પહેલી વખત એવું થશે જ્યારે કોઈ પ્રધાનમંત્રી પ્રથમ વખત સિંગલ એન્જિનવાળા SEA-પ્લેનમાં બેસીને યાત્રા કરવાના છે. PM મોદી કમાંડો સ્ટાઈલમાં ટેકઓફ અને લેન્ડિગ કરશે.
સ્પાઇસજેટ પહેલી વખત 100 જેટલા પ્લેનનો કોરિયન કંપની સાથે કોન્ટ્રાકટ કર્યો છે. જ્યારે પીએમ મોદીએ 300થી વધારે સી-પ્લેન મંગાવવાની વાત કરી છે. આ કોન્ટ્રાકટથી ભવિષ્યમાં મોટા પ્રોજેકટની શકયતાઓ વધશે અને જો રિવરફ્ન્ટ કે તળાવમાં સી-પ્લેન લેન્ડિગ થશે તો ટૂરીઝમને વેગ મળશે. અને માટે જ ભાજપ આ પગલાને એક ક્રાંતિકારી પગલું ગણાવી રહી છે.