અબુ ધાબીઃ પ્રધાનમંત્રી મોદી ચાર દિવસ પશ્ચિમ એશિયાઇ દેશોની યાત્રા પર છે. આ યાત્રા દરમિયાન તેઓ અબુ ધાબી પણ જવાના છે. રવિવારે પીએમ મોદી ભારતીય સમુદાયને સંબોધિત કરવાના છે.
સાથે જ અબુ ધાબીમાં બનેલા પ્રથમ મંદિરનું પણ ઉદ્ઘાટન કરવાના છે. પીએમ મોદીની મુલાકાતને લઇને અબુ ધાબીમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અબુ ધાબીની નેશનલ ઓઇલ કંપનીને પીએમની મુલાકાત પહેલા જ તિરંગો લહેરાવી દીધો છે.
કંપનીની ઇમારતને તિરંગાની રોશનીથી જગમગાવી દીધી છે. ત્યારે બીજી તરફ અબુ ધાબીના અખબારોમાં પણ મોદીની મેજીક છવાયો છે. અખબારોમાં ભારતના પ્રતિનિધિઓની મુલાકાતનો ઉલ્લેખ કરીને મોદીની અબુ ધાબીની મુલાકાતને વિશેષ દર્શાવવામાં આવી છે.