જયપુર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશની પહેલી ઇકો ફ્રેન્ડલી રિફાઇનરીના કાર્યનો શુભારંભ કર્યો. બાડમેરના પચપદરામાં બનનારી આ રિફાઇનરીનો ખર્ચ આશરે 43 હજાર કરોડ રૂપિયા છે. ચાક વર્ષમાં બનીને તૈયાર થનારી આ રિફાઇનરી બીએસ-6 માનક પર બનશે. HPCL અને રાજસ્થાન સરકારના સંયુક્ત ઉપક્રમ હેઠળ આ રિફાઇનરીનું નિર્માણ કરવામાં આવશે.
પીએમ મોદીએ આજે બાડમેર રિફાઇનરીન કાર્ય શુભારંભના પ્રસંગે કહ્યું કે આ સંકલ્પથી સિદ્દીનો સમય છે. એમને કહ્યું કે વિશ્વાસ આપવામાં આવ્યો છે કે જ્યારે વર્ષ 2022માં દેશ આઝાદીના 75 વર્ષનું જશ્નમનાવી રહ્યું હશે ત્યારે અહીંથી રિફાઇનરીનો કાર્ય પ્રારંભ થઇ જશે.
પીએમ મોદીએ આ પ્રસંગે રાજસ્થાનના મુખ્યમંત્રીની વખાણ કરતાં કહ્યું કે વસુંધરા રાજેમાં રાજપરિવારની સાથે મારવાડી ગુણ પણ છે. એટલા માટે એ રાજસ્થાનના 40 હજાર કરોડ રૂપિયા બચાવવા સફળ રહી છે.
કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે કોંગ્રેસની કાર્યશૈલીનો હિસ્સો છે કે મોટી મોટી વાતો કરવી. એ લોકો માત્ર પથ્થર લગાવવાનું જ જાણે છે. રેલવે બજેટમાં 1500થી વધારે કોંગ્રેસે એવી જાહેરાત કરી છે જેનો આજ સુધી કોઇ નામોનિશાન નથી. વન રેન્ક વન પેન્શનમાં પણ કોંગ્રેસ ફોજીઓ સાથે કપટ કરી. આ કાર્ય માટે બજેટમાં પણ માત્ર દેખાવો કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટમાં 15 હજારથી વધારે કર્મચારી અને એન્જીનિયર લાગશે જેમને રહેવા માટેની વ્યવસ્થા એક ટાઉનશિપનું નિર્માણ કરાવીને કરવામાં આવી છે. આ નિર્માણ કાર્યની સાથે સાથે 1 વર્ષ બાદથી જ રિફાઇનરીનું ફેબ્રિકેશનનું કામ ઝડપથી કરવામાં આવશે.
તમને જણાવી દઇએ કે બાડમેર રિફાઇનરી એચપીસીએલ અને રાજસ્થાન સરકારના સહયોગથી સ્થાપિત કરવામાં આવી રહી છે જેમાં 74 ટકા એચપીસીએલની ભાગીદારી નક્કી કરવામાં આવી છે.