નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ ત્રણ તલાક વિરુદ્ધ નરેન્દ્ર મોદી સરકાર મોટું પગલું ભરવા જઇ રહી છે. મોદી સરકારે ત્રણ તલાક વિરુદ્ધ કાયદો બનાવવાનો નિર્ણય લીધો છે. શિયાળુ સત્રમાં ત્રણ તલાક વિરુદ્ધ બિલ લાવશે.
જણાવી દઇએ કે 22 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે ત્રણ તલાક પર પ્રતિબંધ મૂકી દીધો હતો. શાયરા બાનો કેસની સુનવણી કરતાં સુપ્રીમ કોર્ટે એક સમયમાં એક સાથે ત્રણ તલાકની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે ત્રણ તલાક વિરુદ્ધ નિર્ણયને વધારે અસર પહોંચે તેવા બનાવવા માટે કેન્દ્ર સરકાર આ મુદ્દાને આગળ વધારી રહી છે. સરકાર ત્રણ તલાક વિરુદ્ધ કાયદો બનાવવાનો નિર્ણય લીધો છે.
સરકાર હાલની દંડ જોગવાઇમાં સંશોધન કરવાનો વિચાર કરી રહી છે જે હેઠળ જો કોઇ વ્યક્તિ ટ્રિપલ તલાક આપે છે તો એ ગુનો હશે.
સુપ્રીમ કોર્ટે ત્રણ તલાક વિરુદ્ધ નિર્ણયને વધારે મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકાર આ મામલાને આગળ વધારી રહી છે. મોદી સરકારે ત્રણ તલાક વિરુદ્ધ કાયદો બનાવવાનો નિર્ણય કર્યો છે.
જણાવી દઇએ કે સુપ્રીમકોર્ટ દ્વારા ત્રણ તલાકને બેન કર્યા બાદ પણ ત્રણ તલાકના કેસો સામે આવી રહ્યા છે. એવામાં સરકારે આ કુપ્રથાને મુક્ત કરાવવા માટે કાયદો લાવવા જઇ રહી છે. સરકાર આ બિલ દ્વારા ત્રમ તલાક આપનારને સજાની જોગવાઇ રાખવા ઇચ્છે છે. કારણ કે ત્રણ તલાક પર પૂરી રીતે રોક લાગી શકે.