ચીનઃ ડોકલામ વિવાદની વચ્ચે ચીને એકવાર ફરી સીધુ મોદી સરકાર પર નિશાન તાક્યું છે. સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે મોદી સરકાર ભારતને યુદ્ધ તરફ કરી રહ્યું છે. અખબારે વધુમાં કહ્યું કે. યુદ્ધ થવાની સ્થિતિના પરિણામ સૌને ખબર છે. ડોકલામમાં ભારતીય સેના પાછળ નહી હટે તો યુદ્ધ થવાનું છે. અને યુદ્ધ થવાના પરિણામ સૌ કોઇ જાણે છે.
ચીની અખબારે કહ્યું કે તેમની સેનાને 50 વર્ષમાં સૌથી મજબૂત બનાવવામાં આવી છે. સંપાદકીયમાં લખ્યું છે કે મોદી સરકાર પોતાના દેશવાસીઓને ખોટું બોલી રહી છે કે 2017 વાળુ ભારત અને 1962થી અલગ છે. જો મોદી સરકાર યુદ્ધ કરવા માગે છે તો તેણે તેના પાછળનું પરિણામ ખબર હોવું જોઇએ.