મુંબઇઃ અંડરવર્લ્ડ ડોન દાઉધ ઇબ્રાહિમ પર મોદી સરકારનો સકંજો વધારે મજબૂત થઇ રહ્યો છે. દાઉદની વિદેશી સંપતિઓ જપ્ત થયા બાદ ભારતમાં રહેલી તેની સંપતિ મોદી સરકારના નિશાના પર છે. વિદેશ મંત્રાલયે દાઉદની સંપતિની ફરી હરાજી કરવાનો નિર્ણય લીધો છે.
મંત્રાલયે તેના માટે અખબારમાં એક જાહેરાત આપી છે. જેમાં દાઉદની સંપતિની હરાજીનું નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ હરાજી 14 નવેમ્બરે થવાની છે. જે 6 સંપતિની હરાજીનું નિમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં 3 D ગેંગ સાથે જોડાયેલી છે. અને અન્ય 3 બીજાઓ સાથે જોડાયેલી છે. આમાંથી મોટાભાગની સંપતિ મુંબઇમાં છે. અને એક પ્લોટ ઓરંગાબાદમાં છે.