અમદાવાદ:ઇઝરાયલ પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ આજે ગુજરાત પ્રવાસે છે આ દરમિયાન તેઓ આઇ ક્રિએટ સંસ્થાનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.નેતન્યાહુ અને મોદી અમદાવાદથી એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા બાવળા નજીક દેવ ધોલેરા ગામે આવશે.આ માટે અહીંના કેન્સવિલા ખાતે હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું છે.
આઇ ક્રિએટ ભારત અને ઇઝરાયેલના સંબંધોને નવી જ ઉંચાઈ પર લઈ જશે. ગુજરાત ઓન્ટ્રપ્રન્યોર એકસેલેન્સ ફાઉન્ડેશન દ્વારા આઇ ક્રિએટની સ્થાપના કરાઈ છે.બાવળા જેવા વિસ્તારમાં આવી આતંરરાષ્ટ્રીય સંસ્થા બનાવવાનો ખાસ હેતુ છે.સંસ્થામાં કુલ 25 વિભાગ છે જેમાં કુલ 8 કંપનીઓ પણ હિસ્સેદારી ધરાવે છે GMDC પણ તેમાં ખાનગી અને જાહેર ભાગીદારી ધરાવે છે.
GMDC અને GEVPFના પદાધિકારીઓનું એક હંગામી બોર્ડ આ સંસ્થાનું સંચાલન કરે છે. જેના સલાહકારોમાં ઇન્ફોસિસના કો ફાઉન્ડર નારાયણ મૂર્તિ દિલિપ સંઘવી જેવા દિગ્ગજો સામેલ છે.
સમયાંતરે આ સંસ્થા ઇઝરાયેલ અને ભારત વચ્ચે સેતુ બની છે. જેણે ઇઝરાયેલની અનેક ઓન્ટ્રપ્રન્યોર સંસ્થાઓ સાથે સંકલન કર્યું છે.આઇ ક્રિએટ અને ઇઝરાયેલ ઇનોવેશન ઓથોરિટીએ ઉદ્યોગ સાહસિકતાના પ્રચાર અર્થે ખાસ કામ કર્યું છે જેને લઈને બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બન્યા છે. આ સંસ્થા આગામી સમયમાં ઇઝરાયેલના ઉદ્યોગસાહસિકોને ભારતીય બજારોમાં સ્મૂથ લેન્ડિંગ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડશે.