PM મોદી અને જાપાનના PM શિંઝો આબે અમદાવાદ આવશે. ત્યારે આ બંને દેશના પ્રધાનમંત્રી સિડયુઅલ ફલાઇમાં આવશે. બન્ને ફલાઇટને પ્રાયોરિટી લેન્ડિંગ કરાવાશે. અમદાવાદ એરપોર્ટ પર અન્ય ફલાઇટોને લેન્ડિંગ અપાય નહીં. રડારમાં જેટલી ફલાઇટ હશે તેને લેન્ડિંગ અપાશે નહી.
બપોરે 2:30 અન્ય ફલાઇટને ગતિ ધીમી કરવી પડશે નહી. જેને લઇને એર ટ્રાફિક થાય તેવી સંભાવના છે. PMની ફલાઇટ લેન્ડિંગ પહેલા ચેકિંગ કરાશે. 3 વાર ATC દ્વારા રનવેની ચેક કરાશે. બર્ડ હિશટગને લઇને અમદાવાદ એરપોર્ટ સેન્સેટિવ હોવાથી ફાયર ટીમ દ્વારા ક્રેકર્સ ટીમ તૈનાત કરાઇ છે.પક્ષીઓને ઉડાવવા ફટાકડા ફોડવામાં આવશે.
ઉલ્લેકનીય છે કે બંને મહાનુભાવોના આગમનને પગલે ગુજરાત ખાતે કોઇ અનીચ્છનીય બનાવ ન બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. ત્યારે અમદાવાદનું હવાઇ મથક આંતર રાષ્ટ્રીય હોવાથી ત્યાં એર ટ્રાફિક મોટા પાયે જોવા મળતો હોય છે.