વોડાફોન એરટેલ અને આઇડિયાના કેટલાક યૂઝર્સને એક SMS આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સિમ યૂઝ કરનારા યૂઝર્સની વૉઇસ સર્વિસ બંધ કરી દેવામાં આવશે.
આ મેસેજ એરટેલ આઇડિયા સહિત રિલાયન્સ જિયોના ગ્રાકહોને પણ આવી રહ્યો છે. આ મેસેજમાં કહેવામાં આવી રહ્યુ છે કે જો તમારા મોબાઇલ પર વૉઇસ કૉલિંગની સર્વિસ ચાલુ રાખવા ઇચ્છો છો તો તમારો નંબર પોર્ટ કરી લેવો જોઇએ. આ SMS આવ્યા પછી યૂઝર્સે ઘણા ટ્વીટ પણ કર્યા. તેમણે આ SMSનો સ્ક્રીનશૉટ પોસ્ટ કરીને ટેલિકૉમ કંપનીઓને પૂછ્યુ કે છેવટે આ SMSમાં કેટલી વાસ્તવિકતા છે.
યૂઝરના આ સવાલોનો જવાબ એરટેલ અને આઇડિયા સહિત અન્ય કંપનીઓએ આપ્યો છે. આ કંપનીઓએ આ SMSની હકીકત જણાવી છે જે તમારે પણ જાણવી જરૂરી છે.
ટ્વિટર પર યૂઝર્સને આ SMS પોસ્ટ કર્યા પછી આઇડિયા અને ભારતી એરટેલે કહ્યુ કે આ SMSમાં કોઇ વાસ્તવિકતા ન હોવાનું જણાવ્યું હતું. તેમણે પોતાના ગ્રાહકોને આ SMS પર વિશ્વાસ ન કરવા કહ્યું છે.