મુંબઇના છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન પાસે આવેલી કોંગ્રેસ ઓફિસમાં સવારના સમયે અજાણ્યા લોકો દ્વારા તોડફોડ કરવામાં આવી છે. દંડા લઇને ઓફિસમાં અડધા ડઝનથી વધારે લોકો ઘુસી ગયા હતા અને ઓફિસમાં તોડફોડ કરી હતી.
રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ આ હુમલાને સર્જિકલ સ્ટ્રાઇક જણાવતા તેની જવાબદારી લીધી છે. આ ઘટના બાદ પોલીસે ત્રણ મનસેના કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. હુમલો કરનારા લોકોએ ઓફિસ સ્ટાફ સાથે મારામારી કરી નથી. સવારનો સમય હોવાથી ઓફિસમાં ઘણો ઓછો સ્ટાફ હાજર હતા.