અમદાવાદ:ગુજરાતભરમાં વાલીમંડળ દ્વારા બંધનુ એલાન જાહેર કરવામાં આવ્યુ હતુ.ત્યારે રાજ્યની ઘણી શાળાઓમાં શિક્ષકાર્ય યથાવત છે.અમદાવાદ અને વડોદરામાં કેટલીક શાળાઓમાં શિક્ષણ કાર્ય યથાવત છે.
કેટલીક શાળાઓના વાલીઓ દ્વારા શાળાબંધમાં સમર્થન આપવામાં આવ્યુ નથી.જ્યારે વડોદરામાં રાબેતા મુજબ શાળાઓ ચાલુ છે.ત્યારે બંધ પાળવા મુદ્દે વાલીમંડળના જૂથ દ્વારા શાળા બંધ કરાવવા હોબાળો કર્યો છે.
વાલીમંડળનો જૂથ સમર્થન નહિ કરનાર શાળાઓ બંધ કરાવવા માટે શાળામાં પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો.રાજકોટ અને સુરતમાં પણ શાળાબંધને નહિવત પ્રતિસાદ મળ્યો છે.મોટાભાગની શાળાઓમાં રાબેતા મુજબ શિક્ષણકાર્ય ચાલુ છે.
સુરતમાં તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓએ રાબેતા મુજબ હાજર રહ્યા હતા.મહત્વનુ છે કે શાળાઓ દ્વારા ફીના કાયદાનુ પાલન ન કરીને વધુ ફી વસુલવામાં આવે છે.ત્યારે વાળી મંડળ દ્વારા બંધનુ એલાન જાહેર કરવામાં આવ્યું હતુ.